જે. એન.બાલિકા વિદ્યાલય ગણિત- વિજ્ઞાન પ્રદર્શન

 

 

જે. એન બાલિકા વિદ્યાલયમાં  તારીખ ૩જી માર્ચ ૨૦૧૮ ને શનિવારના રોજ શાળાકીય ગણિત વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળા ની ધોરણ ૯ અને ૧૧ ની વિધ્યાર્થીનીઓએ વિવિધ વિષયો પર કૃતિઓ રજૂ કરી હતી. જેમ કે ગણિત કોયડા, પાયથાગોરસનો નિયમ, ગણિત ગમ્મત, મેટ્રો પ્રોજેક્ટ, સ્માર્ટ સીટી, એર કુલર, પ્રદુષણ નિયંત્રણ, જૈવ વિવિધતા, ટપક સિચાઈ પધ્ધતિ જેવા વિષયોને મોડલ તેમજ ચાર્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં લગભગ ૫૦ કૃતિ ઓ રજૂ કરવામાં આવી હતી. પ્રદર્શન નો મુખ્ય હેતુ વિધ્યાર્થીનીઓમાં ગણિત વિજ્ઞાન જેવા વિષય પ્રત્યે રસ કેળવાય તેમ જ વિધ્યાર્થીઓ માં પાયાના સિધ્ધાંતોની સમજ દ્રઢ બને તેવો હતો.