સરસ્વતી વિદ્યા મંડળના સરસપુર કેમ્પસમાં, ભારતના સ્વતંત્રતા-દિનની ઉજવણી બુધવાર તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કરવામાં આવી. મુખ્ય મહેમાન અમદાવાદ જિલ્લાના શૈક્ષણિક નિરીક્ષક ડો. નમ્રતા ઉપાધ્યાયના વરદ હસ્તે ભારતનો રાષ્ટ્ર-ધ્વજ ફરકાવામાં આવ્યો હતો. સરસપુર કેમ્પસની શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષક-ગણે ઉજવણીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.