મહાસમિતીની સોગંદ વિધિ – જે.એન. બાલિકા વિદ્યાલય

 

 

 

 

 

 

 

 

લોકશાહી ના મૂલ્યો ના જતન માટે જે. એન. બાલિકા વિદ્યાલયમાં ગઇ તારીખ 7 જૂનના રોજ વિદ્યાર્થી મહાસમિતીની ચૂંટણી માટે મતદાન કાર્યક્રમનું  આયોજન શિક્ષકોની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ. વર્ગ દીઠ 6 પ્રતિનિધિઓ પસંદ થયા. ત્યારબાદ તારીખ 11 જૂનના રોજ કારોબારી મંડળની પસંદગી થઈ. શાળા ના મંત્રી તથા  સહમંત્રી માટે મતદાન યોજવામાં આવ્યું. શૈક્ષણિક વર્ષ 2018-19 માટે ધોરણ11, કોમર્સની ઈશિતા મંત્રી તરીકે પસંદગી પામી. તારીખ 14 જૂનના રોજ મુખ્ય મહેમાન હોસાના મિશન શાળાના આચાર્ય શ્રી મહેન્દ્રભાઈની ઉપસ્થિતીમાં  સમગ્ર મહાસમિતીની સોગંદ-વિધિ કરવામાં આવી.