કુમારશાળા-૨નો વાલી-દિન
સરસ્વતી કુમારશાળા-૨એ પોતાનો શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટેનો વાલી-દિન તારીખ ૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ બપોરના ૧૨થી ૪:૩૦ની વચ્ચે ઉજવ્યો. વાલી-દિનમાં ૭૬%થી વધુ વિદ્યાર્થીના વાલીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. વાલીઓએ એકમ-કસોટીના પરિણામના આધાર પર પોતાના બાળકના શૈક્ષણિક તથા સર્વાંગી વિકાસ બાબતની ચર્ચા શિક્ષકો સાથે કરી હતી. શિક્ષકોએ વાલીઓને વિદ્યાર્થીઓને વધુ આગળ લાવવા માટેના શાળાના પ્રયત્ન વિષે માહિતી આપી હતી. પ્રસ્તુત છે કાર્યક્રમની એક ઝલક.