ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શેઠ એ. એચ. સરસ્વતી વિદ્યાલયની જીત

ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં  શેઠ એ. એચ. સરસ્વતી વિદ્યાલયની જીત

  ધ્રુવ એજ્યુકેશન , મણીનગર , અમદાવાદ ખાતે તારીખ ૧૨/૦૯/૨૦૧૮ નારોજ યોજાયેલા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં એસ.વી.એસ. કક્ષાએ આપણી શેઠ એ. એચ. સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કૃષિ અને જૈવિક ખેતી (વિભાગ-૧) અને ગાણિતિક મોડલ (વિભાગ-૫) માં ભાગ લીધો હતો , જેમાં  વિભાગ-૧ ની કૃતિ પ્રથમ નંબરે પસંદ થયેલ છે. વિજેતા વિદ્યાર્થીઓ તથા તેમના માર્ગદર્શક-શિક્ષકને અભિનંદન

Read Me

કુમાર શાળા-૧માં શિક્ષક દિનની ઉજવણી

કુમાર શાળા-૧માં શિક્ષક દિનની ઉજવણી

પાંચ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે સરસ્વતી કુમાર શાળા-૧માં શિક્ષકદિનનું આયોજન કરેલ જેમાં દરેક વર્ગમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવેલ. કાર્યક્રમની એક ઝલક.

Read Me

કુમાર શાળા-૨માં શિક્ષક

કુમાર શાળા-૨માં શિક્ષક

સરસ્વતી કુમાર શાળા-૨માં તારીખ ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી શિક્ષક દિન તરીકે કરવામાં આવી. યોજાયેલા સમારંભમાં શ્રી ભાગ્યશ્રીબેન તથા શ્રેણી પાંચના વિદ્યાર્થી અમરભાઇએ શિક્ષક દિનની મહત્તા સમજાવી હતી. શ્રી જસુબેને આ પ્રસંગે સર્વે શિક્ષક મિત્રોને શુભેચ્છા પાઠવી હતી.

Read Me

કુમાર શાળા-૧માં ઑગસ્ટ માસની પૂરક પ્રવૃત્તિ

કુમાર શાળા-૧માં ઑગસ્ટ માસની પૂરક પ્રવૃત્તિ

સરસ્વતી કુમાર શાળા-૧માં ઑગષ્ટ માસની પૂરકપ્રવૃત્તિ અંતર્ગત કવિવર રવિન્દ્રનાથ ટાગોર નિર્વાણદિન, ડૉ. વિક્રમ સારાભાઇ જન્મદિન, કવિ નર્મદ જયંતી અને ઝવેરચંદ મેઘાણી, ડૉ. રઘુભાઇ નાયક ના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવોની જીવનશૈલી વિશે વિદ્યાર્થીમિત્રોને તેમના જ સાથીમિત્રો દ્વારા માહિતી આપવામાં આવી હતી. કવિઓના  કાવ્યો પઠન ગાન તથા અભિનય રૂપે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં, જેમાં ઝવેરચંદ મેઘાણી લિખિત કાવ્ય ‘ ચારણકન્યા’ ની અભિનય દ્વારા […]

Read Me

કુમાર શાળા-૨માં જન્માષ્ટમીની ઉજવણી

કુમાર શાળા-૨માં જન્માષ્ટમીની ઉજવણી

  સરસ્વતી કુમાર શાળા-૨માં જન્માષ્ટમીની ઉજવણી તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી. ગીત, ગરબા તથા મટકા-ફોડની લિજ્જત બધાએ માણી. શ્રી ઇલાબેન તથા શ્રી અમરભાઇએ તહેવાર વિષે માહિતી આપી.

Read Me