કુમાર શાળા-૧માં ઑગસ્ટ માસની પૂરક પ્રવૃત્તિ
સરસ્વતી કુમાર શાળા-૧માં ઑગષ્ટ માસની પૂરકપ્રવૃત્તિ અંતર્ગત કવિવર રવિન્દ્રનાથ ટાગોર નિર્વાણદિન, ડૉ. વિક્રમ સારાભાઇ જન્મદિન, કવિ નર્મદ જયંતી અને ઝવેરચંદ મેઘાણી, ડૉ. રઘુભાઇ નાયક ના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
મહાનુભાવોની જીવનશૈલી વિશે વિદ્યાર્થીમિત્રોને તેમના જ સાથીમિત્રો દ્વારા માહિતી આપવામાં આવી હતી. કવિઓના કાવ્યો પઠન ગાન તથા અભિનય રૂપે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં, જેમાં ઝવેરચંદ મેઘાણી લિખિત કાવ્ય ‘ ચારણકન્યા’ ની અભિનય દ્વારા રજૂઆત નોંધપાત્ર હતી.