સરસ્વતી વિદ્યામંડળના ૭૫ વર્ષ (અમૃતપર્વ) અને મુ. જશીબેન નાયકના ૧૦૧ વર્ષ (શતાબ્દી પર્વ)માં મંગલ પ્રવેશ નિમિત્તે સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓની રેલી તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ સવારે ૮.૩૦ કલાકે નીકળી હતી. જય સરસ્વતીના નારા સાથે રેલીનું પ્રસ્થાન સરસ્વતી વિદ્યામંડળના પ્રમુખ મુ. શ્રીજશીબેને કરાવ્યું હતું.