સંસ્થાના અમૃત પર્વ તથા મુ. શ્રી જશીબેનના શતાબ્દી પર્વ નિમિત્તે વિદ્યાર્થી રેલી
વીડીઓ સૌજન્યઃ NEWS 9 INDIA GUJARATI
સરસ્વતી વિદ્યામંડળના ૭૫ વર્ષ (અમૃતપર્વ) અને મુ. જશીબેન નાયકના ૧૦૧ વર્ષ (શતાબ્દી પર્વ)માં મંગલ પ્રવેશ નિમિત્તે સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓની રેલી તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ સવારે ૮.૩૦ કલાકે નીકળી હતી. જય સરસ્વતીના નારા સાથે રેલીનું પ્રસ્થાન સરસ્વતી વિદ્યામંડળના પ્રમુખ મુ. શ્રીજશીબેને કરાવ્યું હતું. રેલીમાં સરસ્વતી બાલવિહારના બાળકોએ ૩ ટેબ્લોમાં સિંહ વનના રાજાને બચાવો તથા સર્વધર્મ સમભાવની થીમ ઉપર વેષભુષા કરી હતી. સરસ્વતી કુમાર શાળા નં.૧ના બાળકોએ વિવિધ વેષભુષાની સાથે સાથે શાળામાં ભજવવામાં આવતી પ્રવૃત્તિઓના ટેબ્લો પ્રસ્તુત કર્યા હતા. સરસ્વતી કુમાર શાળા નં.૨ના સંગીતના વાદ્યો સાથે બાળકો તથા વૈજ્ઞાનિક ટેબ્લો હતા. જે. એન. બાલિકા વિદ્યાલય તથા શેઠ અ.હ. સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રમતગમતની થીમ, લેઝીમ, એન.સી.સી, બેન્ડ સાથેના ટેબ્લો તૈયાર કર્યા હતા. કુલ ૨૪૦૦ બાળકો સાથેની રેલીમાં સરસ્વતી વિદ્યામંડળના મંત્રી શ્રી જ્યોતીન્દ્રભાઈ દવે, સહમંત્રી શ્રી સજુભા ઝાલા, સંચાલન મંડળના સભ્યશ્રી ઈરાબેન ઘોષ, દરેક શાળાના આચાર્યો, શિક્ષક તથા કર્મચારીગણ, સરસ્વતી કમ્પ્યૂટર સેન્ટરના તમામ શિક્ષક, સરસ્વતી નાગરિક સમાજના શ્રી દિલીપસિંહ સોલંકી, મનીષ પટેલ, મુકેશભાઈ વૈદ્ય, આશોકભાઈ સોમપુરામાં પણ જોડાયા હતા. રેલીનું સરસપુર વિસ્તારના નાગરિકો ખુબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું હતું.
સરસ્વતી વિદ્યામંડળે પોતાની ૭૫ વર્ષની જ્ઞાન દિપિકા વડે પૂર્વ વિસ્તારના ૮૦,૦૦૦ નાગરિકોનું શિક્ષણ દ્વારા ચારિત્ર્ય ઘડતર, પૂરકપ્રવૃત્તિ દ્વારા મુલ્યનિષ્ઠ શિક્ષણ, શિક્ષણ દ્વારા રાષ્ટ્ર ઘડતર, વિદ્યાર્થી સંઘ દ્વારા લોકશાહીની તાલીમ આપીને એક સુંદર વટવૃક્ષ તૈયાર કર્યું છે.