જે.એન.બાલિકા રિયુનિયન-૨૦૧૯
ઈ.સ. ૧૯૪૪માં સ્થપાયેલી સરસ્વતી વિદ્યામંડળે આજે ૭૫ વર્ષની સફર પુરી કરવા જઈ રહ્યું છે. ૭૫ વર્ષની સફરમાં સરસપુર અને અસારવા વિસ્તારમાં અનેક બાળકો શિક્ષણ લઈ ચૂક્યા છે. અમારા આદ્યસ્થાપક પદ્મશ્રી ડા. રઘુભાઈ નાયક તથા ૧૦૧ વર્ષની ઉંમરે મુ.શ્રી જશીબેનનું માર્ગદર્શન અમને સૌને મળતું રહે છે.
સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત જે.એન. બાલિકા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ સંગઠિત થઈ રીયુનિયન તા. 24 ફેબ્રુઆરી 2019ને રવિવારના રોજ યોજ્યું હતુ. જેમાં ઈ.સ. ૧૯૬૪થી લઈને ૨૦૧૮ સુધીની આશરે ૪૦૦થી ૪૫૦ સારસ્વત બહેનો લગભગ ૩૫ વર્ષ પછી આ કૅમ્પસમાં ઉપÂસ્થત રહી હતી. કાર્યક્રમ બપોરે ૨.૦૦ થી ૫.૩૦ સુધીનો તાસ પદ્ધતિ મુજબ રાખવામાં આવ્યો હતો. બપોરે ૨.૦૦ થી ૨.૩૦ સુધીમાં આવનાર દરેક સારસ્વત બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શાળાની શરૂઆત જેવી રીતે થાય છે તેવી જ રીતે કાર્યક્રમની શરૂઆત ઘંટ વગાડી કરવામાં આવી હતી. સૌ સારસ્વતો બ્લેક એન્ડ વાઈટ ડ્રેસ કોડમાં જ આવ્યા હતા.
સરસ્વતી વિદ્યામંડળની પ્રણાલી પ્રમાણે જે.એન. બાલિકા વિદ્યાલયની સારસ્વત દૃષ્ટિ ભાવસારે પ્રાર્થના ગાઈ અને તેને તબલાં ઉપર નિધિ ભાવસારે સાથ આપ્યો હતો. પ્રાર્થના બાદ પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલ ભારતીય જવાનોને મૌન પાણી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આપણી જ શાળાના સારસ્વત, શિક્ષક અને અત્યારે કુમારશાળાના આચાર્યા શ્રી મીતાબેન મહેતાએ સૌ મંચસ્થ મહાનુભાવોનો પરિચય આપ્યો હતો.
રિયુનિયન શા માટે ? એ અનુસંધાનમાં સારસ્વત તથા પૂર્વ શિક્ષક શ્રી કલ્પેશભાઈ પટેલે સરસ્વતી વિદ્યામંડળ દ્વારા ચલાવવામાં આવતી પૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન ‘સરસ્વતી નાગરિક સમાજ’ની ખૂબ જ સુંદર રૂપરેખા તથા તેમાં થઈ ગયેલ કાર્યક્રમની વિસ્તૃતમાં સમજ આપી હતી.
પૂર્વ આચાર્યા શ્રી આશાબેન વૈદ્ય દ્વારા રિયુનિયન ચલાવવા માટે ‘આપનો સાથ, આપણો વિકાસ’ અંતર્ગત સમાજ પાસેથી અમે ઘણું મેળવ્યું. હવે વારો છે આપણે સમાજને આપવાનો. સૌ એકત્ર થઈ સમાજને શું શું આપી શકાય ? તે વિચારી કમિટી બનાવવા ઈચ્છે છે જેમકે ગરીબ વિસ્તારની શાળાઓમાં જઈ યોગા શીખવવા, રસોઈ, ચિત્ર, સંગીત, હેલ્થ અવેરનેસ વિગેરેના વર્ગો લેવા. આ ઉપરાંત સરકારી હોસ્પિટલમાં જઈ ગામડેથી આવતાં અજ્ઞાન-અભણ પેશન્ટને ફોર્મ ભરી આપવા, જરૂરી માહિતી પૂરી પાડવી, જે તે વોર્ડ સુધી પહોંચાડવા વગેરે કાર્ય કરવા છે. આ અંગે જુદી જુદી રસ રુચિ ધરાવતી બહેનો તેમાં જાડાઈ યોગદાન આપી શકે.
રિયુનિયનના મંગલાચરણમાં જે.એન.બાલિકાના આચાર્યા શ્રી હેતલબેન શાસ્ત્રીએ રિયુનિયનના આગળ ધપાવવા કટિબદ્ધતા બતાવી.
‘મને કેમ વિસરે રે…’ અંતર્ગત શ્રી જશુબેન પટેલ જેઓ ૧૯૬૪ના વિદ્યાર્થિની રહી ચૂક્યા છે. ત્યારબાદ સરસ્વતી વિદ્યામંડળની પ્રાથમિક શાળામાં શિક્ષક, આચાર્યા અને અત્યારે બાલવિહારના આચાર્યા તરીકે સેવા આપી રહ્યાં છે.
શ્રી ઈન્દિરાબેન જેઓ ૧૯૭૮ની સાલમાં જે.એન. બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરેલ હતો. જેઓ અત્યારે ગૃહિણી છે.
શ્રી હર્ષિદાબેન મહેતા જેઓ ૧૯૮૯ની સાલમાં આપણી શાળામાં ભણેલા હતા. જેઓ અત્યારે બરોડા સ્થિત નવરચના એજ્યુકેશન ટ્રસ્ટમાં ડેપ્યુટી મેનેજરની ફરજ બજાવે છે.
શ્રી દિપ્તીબેન શાહ જેઓ ૧૯૮૯ની વર્ષની વિદ્યાર્થિની છે. જેઓ અત્યારે કુકિંગ ફિલ્ડમાં ખૂબ જ નામના ધરાવે છે.
શ્રી એકતા ડોડિયા જે ૨૦૧૨ના વર્ષની પૂર્વ વિદ્યાર્થિની. જે અત્યારે પોÂન્ડચેરીમાં કસ્ટમ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.
દરેક સારસ્વતોએ પોતાના સમયના આચાર્યો, શિક્ષકો, શાળાની મિત્રોને યાદ કરીને વાતાવરણને હર્ષોલ્લાસ કર્યું હતું.
આશીર્વચનમાં સરસ્વતી વિદ્યામંડળના ટ્રસ્ટી શ્રી ઉપેન્દ્રભાઈએ રિયુનિયન જેવા કાર્યક્રમો અવારનવાર થતા રહે તેવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને ટ્રસ્ટી શ્રી જ્યોતીન્દ્રભાઈએ પણ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી હતી.
શ્રી હેતલબેન રામી જેઓ આપણી જ સારસ્વત છે. તેમણે કાર્યક્રમમાં ટ્રસ્ટીમંડળનો, જે.એન.બાલિકાનો, આમંત્રણને માન આપીને આવનાર તમામ આચાર્યો, શિક્ષકો, સારસ્વતો તથા મહેમાનો આભાર માન્યો હતો. કાર્યક્રમને સફળ બનાવનાર સૌ સ્વયંસેવકો તથા આયોજન કમિટિના સભ્યોનો આભાર માન્યો છે.
અંતે સૌ સારસ્વતો, આચાર્યો, શિક્ષકોએ સંસ્થાગીત ગાઈને પ્રથમ પડાવ પૂર્ણ કર્યો હતો.
કાર્યક્રમનું સંચાલન શ્રી મૃણાલબેન ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું.
કમિટિના દરેક સભ્યોએ પોતાના ફરજ પ્રમાણેના કાર્યો કર્યા હતા.
કાર્યક્રમના બીજા સત્રમાં સૌ સારસ્વતો સૂર, તાલ, લય, રાગ એમ કુલ ૪ વિભાગમાં રૂપાંતર કરી અંતાક્ષરી રમી હતી.
અંતાક્ષરી બાદ સૌ સારસ્વત બહેનો તથા શિક્ષકોએ ડિજેના તાલ ઉપર ગરબા, ડાન્સ કર્યો હતો.
કાર્યક્રમમાં શાળાજીવનની રમતો જેવી કે દોરડા ખેંચ, દોરડા કૂદ, સાતોલિયા, પગથિયા સારસ્વતોએ ખૂબ જ માણી હતી.
સૌ સારસ્વત બહેનો પોતાના વર્ગોમાં ગ્રુપ સાથે જઈ ફોટો પડાવ્યા હતા. શાળા જીવનમાં જે ગણવેશ હતો તેના કટઆઉટમાં સૌ બહેનોએ ફોટોગ્રાફ પાડ્યા હતા. સૌ સારસ્વત બહેનોએ આચાર્યો, શિક્ષકો પાસે પોતાની યાગદીરી રૂપે તસ્વીરો પડાવી હતી. શાળા જીવનમાં જે નાસ્તો મળતો હતો તેની યાદગીરી રૂપે આયોજકો તરફથી ખાટી-મીઠી ગોળી, બીયા, આંબોળિયા, આમપાપડ જેવી ખાદ્ય વસ્તુઓ મુકીને શાળાની યાદ તાજી કરાવી હતી.
જેન શાળામાં રીશેષ પડે છે નાસ્તા માટે તેમ હાઈ-ટીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સૌએ ખૂબ જ મજા માણી હતી. સાંજે ૫.૩૦ કલાકે શાળા જેમ છૂટે છે તેમ લાંબો ઘંડ વગાડી સૌ સારસ્વતોને છોડી મૂકવામાં આવી હતી.
સારસ્વત બહેનો પોતાના બાળકોને શાળાની તથા તેમની બાળપણની મિત્રોની મુલાકાત કરાવી હતી.
રિયુનિયન કરી હળવું-મળવું તો ખરું જ પરંતુ તેને જીવંત રાખવું તે મુખ્ય ધ્યેય સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિન પહેલા સંકલ્પ કરવા સૌને કટિબદ્ધ બનાવ્યા હતા. સમયાંતરે ફરી કમિટી ભેગી થઈ તેમનાં કાર્યનો અહેવાલ આપે અને ભવિષ્યની યોજના કે ફેરફાર જરૂરી જણાય તો કરશે.
રિયુનિયન કમિટિમાં સલાહકારમાં શ્રી જ્યોતીન્દ્રભાઈ દવે, શ્રી આશાબેન વૈદ્ય, શ્રી કલ્પેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, મદદગારમાં શ્રી મીતાબેન મહેતા, મૃણાલબેન ઓઝા, ચેતનાબેન રાવલ, સારસ્વત વિદ્યાર્થિનીઓ દિપ્તીબહેન શાહ, હેતલબેન રામી, તેજલબેન પાનસરા, નિતિકાબેન પટેલ, ઉપસનાબેન ચૌહાણ, એડમિનિસ્ટ્રેટીવમાં શ્રી ઉર્વિલભાઈ અને મનીષભાઈ પટેલ.
કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો હતો. સૌએ આ કાર્યક્રમ માણ્યો હતો.
રિયુનિયન નવા અભિગમો તથા નવા પદ્ધતિસર કાર્યક્રમો સાથે ફરી મળશે.