સરસ્વતી વિદ્યામંડળના વડીલ, અસારવા વિદ્યાલયના પ્રથમ આચાર્ય અને વિદ્યામંડળના પ્રમુખ મુ.શ્રી. જશીબેન નાયકની જન્મ શતાબ્દી નિમિત્તે અને સરસ્વતી વિદ્યામંડળ ૭૫માં વર્ષમાં પ્રવેશે ત્યારે અમૃતપર્વની પૂર્વ સંધ્યાએ તા. ૧૧-૧૨-૦૧૮ના રોજ અસારવા શાંતિકુમાર કોઠારી વિદ્યાલય (બાલભારતી)ના પટાંગણમાં ગૌરવશાળી કાર્યક્રમ યોજાઇ ગયો. કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત રાજયના ના પૂર્વ શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ માનનીયશ્રી આનંદીબેન પટેલ હતા. અતિથિ વિશેષ તરીકે આઇ.ટી.આઇ. ગાંધીનગરના ડાયરેક્ટર શ્રી સુધીર […]