ગુરૂપુર્ણિમાનો કાર્યક્રમ

સરસ્વતી કુમાર શાળા નં- ૨, ગુરૂપુર્ણિમાનો કાર્યક્રમ
તા.૧૫/૭/૧૯ ને મંગળવારે અમારા કાર્યક્ર્મનું આયોજન કર્યુ હતું. જેમા,

  • સરસ્વતીપૂજન
  • જ્ઞાનગૌરવ અને સિદ્ધિના સન્માન
  • વિદ્યાર્થીસંઘ અને સોગંધવિધિ
  • ગુરૂપૂર્ણિમા

આ કાર્યક્રમમાં મહેમાનમાં જૂના શિક્ષક શ્રી કુંદનબેન અને શ્રી ઇલાબેન આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સરસ્વતી પૂજનનું મહત્વ જેની માહિતી શ્રી સરોજબેને આપી હતી.

ત્યારબાદ જ્ઞાનગૌરવ અને સિદ્ધિના સન્માન જેની માહિતી શ્રી જયશ્રીબેને આપી હતી. જ્ઞાનગૌરવ અને સિદ્ધિના સન્માનમાં દરેક વર્ગમાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય આવનાર વિદ્ર્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. અને જે વિદ્યાર્થીઓને દરેક  શ્રેણી  પ્રમાણે ચારેય વર્ગમાંથી  જેને ગણિત , ગુજરાતી અને અંગ્રેજી વિષયમાં સારા ગુણ આવ્યા હોય, તે વિદ્યાર્થીઓને સરસ્વતી મંડળ દ્વારા સ્કોલરશીપ આપવામાં આવી હતી. પ્રમાણપત્ર શ્રી કુંદનબેન અને શ્રી ઇલાબેનના હ્સ્તે આપવામાં આવ્યા હતા. અને સ્કોલરશિપ આચાર્યબેન શ્રીમીતાબેનના હસ્તે દરેક વિદ્યાર્થીઓ વતી તેમના વાલીઓને આપી હતી.

ત્યારબાદ વિદ્યાર્થી સંઘ ની માહિતી શ્રી જીગીશાબેને આપી હતી.અને પ્રતિનિધિઓની સોગંધવિધિ ઇલાબેન દ્વારા લેવડાવવામાં આવી હતી.

ગુરૂપુર્ણિમાંના કાર્યક્રમમાં શિક્ષકોને એમના વર્ગમાં પ્રતિનિધિઓએ કંકુ, ચોખા અને ચોકલેટ આપી સન્માન ક્ર્યું હતુ.  બધા જ ગુરૂ વતી આર્શિવચન શ્રી નિલમબેને આપ્યા  હતા. ગુરૂપૂર્ણિમાનુ  મહત્વ વિશેની માહિતી શ્રેણી-૪ ની વિદ્યાર્થીની કાયમખાની તમન્નાએ આપી હતી.
મહેમાન શ્રી બન્ને બહેનોએ સરસ્વતી વિદ્યામંડળ નો પણ આભર માન્યો  કે એમને યાદ કરી આ કાર્યક્ર્મમાં સહભાગી થવા માટે બોલાવવામાં આવ્યા.
બાળકો અને શિક્ષકોએ ખૂબ જ આનંદથી કાર્યક્રમને માણ્યો.  ખરેખર કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો અને બધાને ખૂબ જ આનંદ આવ્યો અને બધાએ ખૂબ જ ઉત્સાહ થી  ગૂરૂપૂર્ણિમાની ઊજવણી કરી.