વાલીઓ તથા શિક્ષકોને સંસ્થા તરફથી રાહત

સંસ્થાના મંત્રી શ્રી જયોતીન્દ્રભાઈ દવે જણાવે છે કે સરસ્વતી વિદ્યામંડળે પ્રાથમિક શાળાઓમાં એક માસની ફી માફ કરી છે. ઉપરાંત ચાલુ વર્ષે ફીમાં  કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

કોરોના કહેરમાં આગામી વર્ષે  અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૭૫ વર્ષ થી કાર્યરત શિક્ષણ સંસ્થાએ હાલમાં ઉભી થયેલી કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરસ્વતી વિધામંડળ, સરસપુર સંચાલિત પ્રાથમિક શાળાઓ (૧) સરસ્વતી કુમાર શાળા નં ૧ (૨) સરસ્વતી કુમાર શાળા નં  ૨ તેમજ (૩) શાંતિ કુમાર કોઠારી વિધાલય અસારવા (બાલભારતી)માં આગામી શૈક્ષણિક વર્ષ 2020/21ના વર્ષમાં ફીમાં વધારો કર્યો નથી તેમજ એક મહિનાની 2350 વિદ્યાર્થીઓની અંદાજે 13 લાખ રૂપિયા ફી માફ કરવામાં આવી છે. અમારી પ્રાથમિક શાળાના 125 કર્મચારીઓનો  એપ્રિલ, મે માસ સુધીનો સંપૂર્ણ પગાર ચૂકવ્યો છે. ઉપરાંત સંસ્થાએ જુન માસથી મોંઘવારી ભથ્થામાં 10% વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

સરસ્વતી વિદ્યામંડલ   પૂર્વ વિસ્તારના વાલીઓને વિનંતી કરે છે કે  ઉપરોક્ત શાળાઓમાં આપના પાલ્યનો પ્રવેશ સવેળા મેળવી લેશો. પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.