સરસ્વતી વિદ્યામંડળની પ્રણાલિકા મુજબ આ વર્ષે તા. ૨/૩ મેના રોજ શૈક્ષણિક સેમિનાર, શાંતીકુમાર કોઠારી વિદ્યાલય અસારવા ખાતે યોજવામાં આવ્યો હતો. સેમિનારનું ઉદ્ધાટન સરસ્વતી વિદ્યામંડળના ચેરમેન જસ્ટીસશ્રી રવિકુમાર ત્રિપાઠીએ કર્યું હતું. “શિક્ષણમાં રાજ્ય સરકારની ભૂમિકા” એ વિષય ઉપર જસ્ટીસશ્રી ત્રિપાઠીએ પૂર્વ ભૂમિકા બાંધી વિચાર પ્રેરક પ્રવર્ચન આપ્યુ હતું. આ વિષયની ચર્ચામાં ભાગ લેતા વિદ્યામંડળના મંત્રીશ્રી જ્યોતીન્દ્રભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણમાં રાજ્ય સરકારની ભૂમિકા ઉદ્દીપક તરીકેની […]