બાલ વિહારમાં ગાંધી જયંતી

 

બાલ વિહારમાં તારીખ ૨જી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૧૫૦મી  ગાંધી જયંતી નિમિત્તે શાળાના સફાઈ  અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આચાર્યશ્રી તથા શિક્ષક ગણના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ ઉત્સાહ તથા આનંદ પૂર્વક શાળાના બાગનાં ક્યારા સાફ કર્યા, છોડવાને પાણી પિવડાવ્યું તથા બાગના ઘાસમાંથી કચરો વીણ્યો.