શૈક્ષણિક પ્રવાસ -૨૦૧૮
આપણી શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલય, દ્વારા તારીખ ૨૪/૧૨/૨૦૧૮ ને શુક્રવારના રોજ એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ , જેમા શાળાનાં પાંચ શિક્ષકમિત્રો તથા એક સેવકભાઇ સાથે ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૧૧૨ વિદ્યાર્થીઓ જોડાયા હતા. પ્રવાસ દરમિયાન શારણેશ્વર મંદિર, પોલો ફોરેસ્ટ (વિજયનગરની પોળો), પૌરાણિક જૈન મંદિર, વણાજ ડેમ, વિરેશ્વરમંદિર, ઇડરીયોગઢ અને છેલ્લે ગિયોડ અંબાજીમાંના મંદિર થઇ, થાકી-પાકી રાત્રે ૧૧.૦૦ કલાકે શાળામાં પરત આવ્યા હતાં.