સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓનો શૈક્ષણિક સેમિનાર-૨૦૨૫

 

સરસ્વતી વિદ્યામંડળની પ્રણાલિકા મુજબ આ વર્ષે તા. ૨/૩ મેના રોજ શૈક્ષણિક સેમિનાર, શાંતીકુમાર કોઠારી વિદ્યાલય અસારવા ખાતે યોજવામાં આવ્યો હતો.
સેમિનારનું ઉદ્‌ધાટન સરસ્વતી વિદ્યામંડળના ચેરમેન જસ્ટીસશ્રી રવિકુમાર ત્રિપાઠીએ કર્યું હતું. “શિક્ષણમાં રાજ્ય સરકારની ભૂમિકા” એ વિષય ઉપર જસ્ટીસશ્રી ત્રિપાઠીએ પૂર્વ ભૂમિકા બાંધી વિચાર પ્રેરક પ્રવર્ચન આપ્યુ હતું. આ વિષયની ચર્ચામાં ભાગ લેતા વિદ્યામંડળના મંત્રીશ્રી જ્યોતીન્દ્રભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણમાં રાજ્ય સરકારની ભૂમિકા ઉદ્દીપક તરીકેની હોવી જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓને યોગ્ય સ્વતંત્ર્યતા મળવી જોઈએ. જેથી શિક્ષણમાં પ્રયોગશીલતાનો વિકાસ થાય.

પ્રથમ દિવસની બીજી બેઠકમાં “શાળાની પ્રાર્થનાસભા” ત્રીજી બેઠકમાં “બાલમંદીરની સફળતાનું રહસ્ય” અને “ચિઠ્ઠી ચર્ચા” માં શિક્ષકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ચોથી બેઠકમાં સરસ્વતી વિદ્યામંડળના સંગીત શિક્ષકોએ “આપણું લોકસંગીત” વિષય પર ગુજરાતના લોકગીતોનો રસાસ્વાદ કરાવ્યો હતો.

બીજા દિવસની પ્રથમ બેઠકમાં “પુસ્તક પરિચય” પર વિદ્યામંડળની શાળાઓના પાંચ શિક્ષકોએ જુદા-જુદા પાંચ પુસ્તકોનો પરિચય કરાવ્યો હતો. તેમજ સેમિનારના અંત્માં નિવૃત્ત શિક્ષકો/ કર્મચારીઓને આવકારવામાં આવ્યા હતા.

બેદિવસનો સેમિનાર સૌએ માણ્યો હતો.