સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓનો શૈક્ષણિક સેમિનાર-૨૦૨૫

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓનો શૈક્ષણિક સેમિનાર-૨૦૨૫

  સરસ્વતી વિદ્યામંડળની પ્રણાલિકા મુજબ આ વર્ષે તા. ૨/૩ મેના રોજ શૈક્ષણિક સેમિનાર, શાંતીકુમાર કોઠારી વિદ્યાલય અસારવા ખાતે યોજવામાં આવ્યો હતો. સેમિનારનું ઉદ્‌ધાટન સરસ્વતી વિદ્યામંડળના ચેરમેન જસ્ટીસશ્રી રવિકુમાર ત્રિપાઠીએ કર્યું હતું. “શિક્ષણમાં રાજ્ય સરકારની ભૂમિકા” એ વિષય ઉપર જસ્ટીસશ્રી ત્રિપાઠીએ પૂર્વ ભૂમિકા બાંધી વિચાર પ્રેરક પ્રવર્ચન આપ્યુ હતું. આ વિષયની ચર્ચામાં ભાગ લેતા વિદ્યામંડળના મંત્રીશ્રી જ્યોતીન્દ્રભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણમાં રાજ્ય સરકારની ભૂમિકા ઉદ્દીપક તરીકેની […]

Read Me

સરસ્વતી વિદ્યામંડળની સરસ્વતી કુમારશાળા નં – ૧ નો વાર્ષિકોત્સવ

સરસ્વતી વિદ્યામંડળની સરસ્વતી કુમારશાળા નં – ૧ નો વાર્ષિકોત્સવ

તારીખ – ૨૮-૦૧-૨૦૨૪ ગુરુવારના રોજ સરસ્વતી વિદ્યામંડળની સરસ્વતી કુમારશાળા નં – ૧ દ્વારા શાંતીકુમાર કોઠારી વિદ્યાલય(બાલભારતી), અસારવા ખાતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૧૨૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  આ વાર્ષિકોત્સવમાં સ્વાગત ગીત, ‘વિશ્વ કોનું’ નાટક તથા ગુજરાતી નૃત્યશૈલી – રાસ રજૂ કરવામાં આવી હતી. પ્રસ્તુત છે વાર્ષિકોત્સવનો  વિડિયો.

Read Me

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળઓના વાર્ષિકોત્સવ

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળઓના વાર્ષિકોત્સવ

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત બાલવિહાર, પ્રાથમિક અને માધ્યમિક – ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વાર્ષિક ઉત્સવમાં તમામ શાળાઓના કુલ ૯૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જુદા-જુદા વિષયોને આવરી લેતા સમાજલક્ષી એકાંકી, નાટક, માઈમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમની સુંદર રજૂઆત કરી હતી. જેની કેટલીક લાક્ષણિક તસ્વીરો અહી રજૂ કરી છે.

Read Me

પ્રાર્થના સભા શ્રી. જશીબેન રઘુભાઇ નાયક

પ્રાર્થના સભા શ્રી. જશીબેન રઘુભાઇ નાયક

સરસ્વતી વિદ્યામંડળના આદ્યસ્થાપક અને મૂર્ધન્ય કેળવણીકાર તથા પૂર્વ વિસ્તારમાં શિક્ષણનો દીપ પ્રગટાવનાર મુ. શ્રી જશીબેન રઘુભાઈ નાયકનું તારીખ ૭/૯/૨૦૨૩ ના રોજ અવસાન થયું છે. સરસ્વતી પરિવાર દ્વારા તારીખ ૧૬/૯/૨૦૨૩ ના રોજ તેમને શ્રદ્ધાંજલી આપવા માટે જશીબેન નાયક શિક્ષણ સંકુલ, શાંતીકુમાર કોઠારી વિદ્યાલય(બાલભારતી) માં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રાર્થના સભામાં સંચાલન/ ટ્રસ્ટી મંડળના સભ્યો, સરસપુર – રખિયાલ વિસ્તારના ધારાસભ્યો, આગેવાનો, પૂર્વ આચાર્યો, શિક્ષકો, […]

Read Me

વૃક્ષારોપણ – 2023

વૃક્ષારોપણ – 2023

૨૪ જુન ૨૦૨૩ ના રોજ સરસ્વતી વિદ્યામંડળ, ઝેડ-કેડ ફાઉન્ડેશન તથા રેડિયો મિર્ચી – ગ્રીન યોદ્ધાના સહયોગથી સરસપુર કેમ્પસ ખાતે વૃક્ષારોપણ અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઇ પરમાર, બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ, સરસ્વતી વિદ્યામંડળના મંત્રીશ્રી જ્યોતીન્દ્રભાઇ દવે, ટ્રસ્ટીશ્રી ઉપેન્દ્રભાઇ પટેલ, શ્રી ગણેશભાઇ ચૌહાણ, સરસપુર કેમ્પસ ડાયરેક્ટર કે.ડી. પટેલ, ઝેડ-કેડ ફાઉન્ડેશનના ચેરપર્સન મનીષ પટેલ, કૃપલ પટેલ, રેડિયો મિર્ચીના આર. જે. કૃતાર્થ, સરસપુર વોર્ડ પ્રમુખ ધીરુભાઇ બારોટ, […]

Read Me

૭૭ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી – સરસપુર કેમ્પસ

૭૭ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી – સરસપુર કેમ્પસ

સરસ્વતી વિદ્યામંડળ સરસપુર કેમ્પસમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન શાળાના પૂર્વ વિદ્યાર્થી અને સરસપુર, બાપુનગર વિસ્તારના સક્રિય કાર્યકર એડવોકેટશ્રી અતુલભાઇ ઘાડિયા ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના અમૃતપર્વ નિમિત્તે સંચાલક મંડળના સભ્ય શ્રી ઉપેન્દ્રભાઇ પટેલ અને શ્રી ગણેશભાઇ ચૌહાણ તેમજ સરસપુર કેમ્પસના ડાયરેકટર શ્રી કે.ડી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માધ્યમિક અને પ્રાથમિક શાળાના બાળકોએ પ્રસંગોચિત સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભારતની સિદ્ધિઓનો પરિચય કરાવ્યો હતો. […]

Read Me

૭૭ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી – અસારવા કેમ્પસ

૭૭ મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી – અસારવા કેમ્પસ

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત અસારવા વિદ્યાલય અને શાંતિકુમાર  કોઠારી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ૭૭ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે અસારવાના અગ્રણિ નાગરીક અને શાળાના પૂર્વ વિદ્યાર્થી શ્રી ગુમાનશિંહ રાજપૂત ના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ૭૫ વર્ષના અમૃતપર્વની ઉજવણી ના ભાગરૂપે ભારતના તમામ ક્ષેત્રમાં પ્રગતિનો દ્રશ્ય-શ્રાવ્ય દ્વારા પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યામંડળના મંત્રીશ્રી, જ્યોતીન્દ્રભાઇ દવે, […]

Read Me

સરસપુર કેમ્પસમાં 3D પ્રિન્ટર

સરસપુર કેમ્પસમાં 3D પ્રિન્ટર

ગઈ તારીખ ૨૪ જુલાઇ ૨૦૨૩ના દિવસે સંસ્થાના વિદ્યાર્થીઓ માટે એક નાના પરંતુ આધૂનિક 3D  પ્રિન્ટરનું  ઇન્સ્ટોલેશન સંસ્થાના શ્રી કલ્પેશભાઇ તથા શ્રી ભૃગેશભાઇએ કર્યું.   આશરે  ૮” X ૮” X  ૮” ની ક્ષમતા વાળું આ  પ્રિન્ટર સંસ્થાને  શ્રી અશ્વિનભાઇ પંચાલના સહયોગથી મળ્યું છે. ઇન્સ્ટોલેશન.  માટે બોસ્ટન, યુ.એસ.એ.ની શાળાના વિદ્યાર્થી રાહિલ પરીખની મદદ વિડિયો કોન્ફરન્સ દ્વારા મળી.  તેમણે પ્રિન્ટરના સંચલનમાં પણ મદદ કરવાની તૈયારી દર્શાવી છે. સૌ મિત્રોનો સંસ્થા […]

Read Me

સરસ્વતી કુમારશાળા 1 અંગ્રેજી ભાષાના શિક્ષણમાં અગ્રેસર

સરસ્વતી કુમારશાળા 1 અંગ્રેજી ભાષાના શિક્ષણમાં  અગ્રેસર

ગુજરાતી માધ્યમ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવવાના હેતુ સહ, અમદાવાદ યુનિવર્સિટી તથા નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે  એક પાયલોટ  પ્રોજેક્ટ,  “માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી” (MGUA)  શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતની આશરે 38 સ્કૂલને આવરી લેતા આ પ્રોજેક્ટનું ધ્યેય ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતાં શ્રેણી -6,7 તથા 8 ના વિદ્યાર્થીમિત્રોને અંગ્રેજી ભાષા સઘન રીતે, રુચિકર પદ્ધતિથી શીખવવાનું છે.  ત્રણ વર્ષના MGUA પ્રોજેક્ટના […]

Read Me

શૈક્ષણિક શિબિર, ૨૦૨૨

શૈક્ષણિક શિબિર, ૨૦૨૨

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓનાં કર્મયોગી ભાઇ- બહેનોનું વ્યક્તિત્વ વિક્સે અને રોજીંદા શૈક્ષણિક કાર્યોમાં સતત નવા અભિગમો કેળવાય તે હેતુને ધ્યાનમાં રાખી દર વર્ષે  શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવેછે. આ વર્ષે  શિક્ષકોની શિબિરનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ પૉલિટેકનિક, સેકટર‌- ૨૨, તારીખ :‌‌- ૭,૮,૯ મે ૨૦૨૨ ના રોજ   કરવામાં આવ્યુ હતું. પ્રસ્તુત છે, શિબિરનો વિસ્તૃત  અહેવાલ

Read Me