વિનીત વિદાય-૨૦૧૯

વિનીત વિદાય-૨૦૧૯

શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલયનાં ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓ માટે તારીખ ૨૨/૦૨/૨૦૧૯ ના રોજ વિનીત વિદાયના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મુખ્ય મહેમાન તરીકે શ્રી ડૉ. કમલેશભાઇ પટેલ (સંયોજક શ્રી, મહાદેવભાઇ દેસાઇ સમાજ સેવા કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ)  ઉપસ્થિત રહ્યા હતા. વિદાય લઇ  રહેલા વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન શ્રી તથા શાળાનાં આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી      

Read Me

જે.એન.બાલિકા રિયુનિયન-૨૦૧૯

જે.એન.બાલિકા રિયુનિયન-૨૦૧૯

ઈ.સ. ૧૯૪૪માં સ્થપાયેલી સરસ્વતી વિદ્યામંડળે આજે ૭૫ વર્ષની સફર પુરી કરવા જઈ રહ્યું છે. ૭૫ વર્ષની સફરમાં સરસપુર અને અસારવા વિસ્તારમાં અનેક બાળકો શિક્ષણ લઈ ચૂક્યા છે. અમારા આદ્યસ્થાપક પદ્મશ્રી ડા. રઘુભાઈ નાયક તથા ૧૦૧ વર્ષની ઉંમરે મુ.શ્રી જશીબેનનું માર્ગદર્શન અમને સૌને મળતું રહે છે. સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત જે.એન. બાલિકા વિદ્યાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ સંગઠિત થઈ રીયુનિયન તા. 24 ફેબ્રુઆરી 2019ને રવિવારના રોજ યોજ્યું હતુ. જેમાં […]

Read Me

૭૦મો પ્રજાસત્તાક દિન- ૨૬/૦૧/૨૦૧૯

૭૦મો પ્રજાસત્તાક દિન- ૨૬/૦૧/૨૦૧૯

૨૬ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે ડૉ.રઘુભાઇ નાયક શિક્ષણ સંકુલમાં આવેલ બધી જ શાળાઓએ સાથે મળીને ૭૦મો પ્રજાસત્તાક દિન ઉજવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે , શાળાના ભૂતપૂર્વ સારસ્વત અને ગુજરાતના જાણીતા રીટાયર્ડ Dy.S.P. શ્રી તરુણભાઇ બારોટ પધાર્યા હતા. આ કાર્યક્રમમાં સરસ્વતી વિદ્યામંડળ તેમજ બધીજ શાળાનાં બધાજ કર્મચારીઓ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ જાગે એ હેતુસર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Read Me

શૈક્ષણિક પ્રવાસ -૨૦૧૮

શૈક્ષણિક પ્રવાસ -૨૦૧૮

આપણી શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલય, દ્વારા તારીખ ૨૪/૧૨/૨૦૧૮ ને શુક્રવારના રોજ એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ , જેમા શાળાનાં પાંચ શિક્ષકમિત્રો તથા એક સેવકભાઇ સાથે ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૧૧૨ વિદ્યાર્થીઓ જોડાયા હતા. પ્રવાસ દરમિયાન શારણેશ્વર મંદિર, પોલો ફોરેસ્ટ (વિજયનગરની પોળો), પૌરાણિક જૈન મંદિર, વણાજ ડેમ, વિરેશ્વરમંદિર, ઇડરીયોગઢ અને છેલ્લે ગિયોડ અંબાજીમાંના મંદિર થઇ, થાકી-પાકી રાત્રે ૧૧.૦૦ કલાકે શાળામાં પરત આવ્યા […]

Read Me

સંસ્થાના અમૃત પર્વ તથા મુ. શ્રી જશીબેનના શતાબ્દી પર્વ નિમિત્તે વિદ્યાર્થી રેલી

સંસ્થાના અમૃત પર્વ તથા મુ. શ્રી જશીબેનના શતાબ્દી પર્વ નિમિત્તે વિદ્યાર્થી રેલી

સરસ્વતી વિદ્યામંડળના ૭૫ વર્ષ (અમૃતપર્વ) અને મુ. જશીબેન નાયકના ૧૦૧ વર્ષ (શતાબ્દી પર્વ)માં મંગલ પ્રવેશ નિમિત્તે સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓની રેલી તા. ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ સવારે ૮.૩૦ કલાકે નીકળી હતી. જય સરસ્વતીના નારા સાથે રેલીનું પ્રસ્થાન સરસ્વતી વિદ્યામંડળના પ્રમુખ મુ. શ્રીજશીબેને કરાવ્યું હતું.

Read Me

મુ. શ્રી જશીબહેન નાયક “શતાબ્દી વંદના” તથા સરસ્વતી વિદ્યામંડળ- “અમૃત પર્વ”ની શુભેચ્છા રેલી

મુ. શ્રી જશીબહેન  નાયક “શતાબ્દી વંદના” તથા સરસ્વતી વિદ્યામંડળ- “અમૃત પર્વ”ની શુભેચ્છા રેલી

તારીખ ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ  મુ. શ્રી જશીબહેન નાયકે ૧૦૦ વર્ષ પૂરા કરી ૧૦૧માં વર્ષમાં પ્રવેશ કર્યો. સાથે-સાથે સરસ્વતી વિદ્યામંડળ સંસ્થા ૭૪ વર્ષ પૂરા કરી ૭૫માં વર્ષમાં પ્રવેશે છે. આ બન્ને પ્રસંગની ઉજવણી નિમિત્તે  સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વાહન-રેલીનું આયોજન કરવામાં આવ્યું. પ્રસ્તુત છે આ પ્રસંગના કેટલાક ફોટોગ્રાફ. પ્રસંગનો વિગતવાર અહેવાલ અહીં વાંચો.  

Read Me

શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલયમાં ગાંધી-જયંતિની ઉજવણી

શેઠ અ. હ. સરસ્વતી વિદ્યાલયમાં ગાંધી-જયંતિની ઉજવણી

શેઠ અ.હ.સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ  નિમિત્તે  પ્રભાતફેરીનું આયોજન. દાંડીકૂચ – નાટક, ગાંધી વિચારોની રજૂઆત, સ્વચ્છતા અભિયાન, વક્તૃત્વ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ ગાંધીજીને પ્રિય ભજનો જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યુ હતું

Read Me

બાલ વિહારમાં ગાંધી જયંતી

બાલ વિહારમાં ગાંધી જયંતી

  બાલ વિહારમાં તારીખ ૨જી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૧૫૦મી  ગાંધી જયંતી નિમિત્તે શાળાના સફાઈ  અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આચાર્યશ્રી તથા શિક્ષક ગણના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકોએ ઉત્સાહ તથા આનંદ પૂર્વક શાળાના બાગનાં ક્યારા સાફ કર્યા, છોડવાને પાણી પિવડાવ્યું તથા બાગના ઘાસમાંથી કચરો વીણ્યો.

Read Me

કુમાર શાળા-૧માં શિક્ષક દિનની ઉજવણી

કુમાર શાળા-૧માં શિક્ષક દિનની ઉજવણી

પાંચ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે સરસ્વતી કુમાર શાળા-૧માં શિક્ષકદિનનું આયોજન કરેલ જેમાં દરેક વર્ગમાં શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા બાળકોને શિક્ષણ આપવામાં આવેલ. કાર્યક્રમની એક ઝલક.

Read Me

કુમાર શાળા-૨માં શિક્ષક

કુમાર શાળા-૨માં શિક્ષક

સરસ્વતી કુમાર શાળા-૨માં તારીખ ૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણી શિક્ષક દિન તરીકે કરવામાં આવી. યોજાયેલા સમારંભમાં શ્રી ભાગ્યશ્રીબેન તથા શ્રેણી પાંચના વિદ્યાર્થી અમરભાઇએ શિક્ષક દિનની મહત્તા સમજાવી હતી. શ્રી જસુબેને આ પ્રસંગે સર્વે શિક્ષક મિત્રોને શુભેચ્છા પાઠવી હતી.

Read Me