કુમાર શાળા-૧માં ઑગસ્ટ માસની પૂરક પ્રવૃત્તિ

કુમાર શાળા-૧માં ઑગસ્ટ માસની પૂરક પ્રવૃત્તિ

સરસ્વતી કુમાર શાળા-૧માં ઑગષ્ટ માસની પૂરકપ્રવૃત્તિ અંતર્ગત કવિવર રવિન્દ્રનાથ ટાગોર નિર્વાણદિન, ડૉ. વિક્રમ સારાભાઇ જન્મદિન, કવિ નર્મદ જયંતી અને ઝવેરચંદ મેઘાણી, ડૉ. રઘુભાઇ નાયક ના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવોની જીવનશૈલી વિશે વિદ્યાર્થીમિત્રોને તેમના જ સાથીમિત્રો દ્વારા માહિતી આપવામાં આવી હતી. કવિઓના  કાવ્યો પઠન ગાન તથા અભિનય રૂપે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતાં, જેમાં ઝવેરચંદ મેઘાણી લિખિત કાવ્ય ‘ ચારણકન્યા’ ની અભિનય દ્વારા […]

Read Me

કુમાર શાળા-૨માં જન્માષ્ટમીની ઉજવણી

કુમાર શાળા-૨માં જન્માષ્ટમીની ઉજવણી

  સરસ્વતી કુમાર શાળા-૨માં જન્માષ્ટમીની ઉજવણી તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી. ગીત, ગરબા તથા મટકા-ફોડની લિજ્જત બધાએ માણી. શ્રી ઇલાબેન તથા શ્રી અમરભાઇએ તહેવાર વિષે માહિતી આપી.

Read Me

સરસપુર કેમ્પસમાં સ્વતંત્રતા-દિનની ઉજવણી

સરસપુર કેમ્પસમાં  સ્વતંત્રતા-દિનની ઉજવણી

      સરસ્વતી વિદ્યા મંડળના સરસપુર કેમ્પસમાં, ભારતના સ્વતંત્રતા-દિનની ઉજવણી બુધવાર તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કરવામાં આવી. મુખ્ય મહેમાન અમદાવાદ જિલ્લાના શૈક્ષણિક નિરીક્ષક ડો. નમ્રતા ઉપાધ્યાયના વરદ હસ્તે ભારતનો રાષ્ટ્ર-ધ્વજ ફરકાવામાં આવ્યો હતો. સરસપુર કેમ્પસની શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષક-ગણે ઉજવણીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.  

Read Me

શેઠ એ.એચ. સરસ્વતી વિદ્યાલય – સિધ્ધિનું સન્માન

શેઠ એ.એચ. સરસ્વતી વિદ્યાલય – સિધ્ધિનું સન્માન

                    ગઇ તારીખ ૩જી ઓગસ્ટ ૨૦૧૮ના રોજ મુખ્ય મહેમાનશ્રી જ્યોતિન્દ્રભાઇ દવે અને શાળાનાં આચાર્યશ્રીની ઉપસ્થિતિમાં સરસ્વતી વિદ્યામંડળ તરફથી શેઠ એ.એચ. સરસ્વતી વિદ્યાલયનાં ઉચ્ચ સિદ્ધિ મેળવેલ કુલ  ૧૨  વિદ્ય્રાર્થીઓને  પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.  તેમજ વિવિધ પ્રકારની સ્કોલરશીપનુ વિતરણ પણ કરવામા આવ્યું હતું.

Read Me

વિદ્યાર્થીસંઘની સોગંદ વિધી- શેઠ એ. એચ સરસ્વતિ વિદ્યાલય

વિદ્યાર્થીસંઘની સોગંદ વિધી- શેઠ એ. એચ સરસ્વતિ વિદ્યાલય

                    ગઇ તારીખ ૧૩ જુલાઈ ૨૦૧૮ના રોજ મુખ્ય મહેમાન શ્રી જ્યોતિન્દ્રભાઇ દવેની ઉપસ્થિતિમાં શેઠ એ. એચ. સરસ્વતી વિદ્યાલયના વર્ષ ૨૦૧૮-૧૯ માટે વરાયેલા મહામંત્રી ભાઇ શ્રી મહિપાલ વાઘેલા, સહમંત્રી ભાઇશ્રી યશ પરમાર, કારોબારી મંડળના સભ્ય તથા સમગ્ર વિદ્યાર્થી સંઘને આચાર્યશ્રીએ  શપથ લેવડાવ્યા.

Read Me

મહાસમિતીની સોગંદ વિધિ – જે.એન. બાલિકા વિદ્યાલય

મહાસમિતીની સોગંદ વિધિ – જે.એન. બાલિકા વિદ્યાલય

                લોકશાહી ના મૂલ્યો ના જતન માટે જે. એન. બાલિકા વિદ્યાલયમાં ગઇ તારીખ 7 જૂનના રોજ વિદ્યાર્થી મહાસમિતીની ચૂંટણી માટે મતદાન કાર્યક્રમનું  આયોજન શિક્ષકોની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ. વર્ગ દીઠ 6 પ્રતિનિધિઓ પસંદ થયા. ત્યારબાદ તારીખ 11 જૂનના રોજ કારોબારી મંડળની પસંદગી થઈ. શાળા ના મંત્રી તથા  સહમંત્રી માટે મતદાન યોજવામાં આવ્યું. શૈક્ષણિક વર્ષ 2018-19 માટે ધોરણ11, કોમર્સની […]

Read Me

કુમારશાળા-૨નો વાલી-દિન

કુમારશાળા-૨નો વાલી-દિન

સરસ્વતી કુમારશાળા-૨એ  પોતાનો શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટેનો વાલી-દિન તારીખ ૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ બપોરના ૧૨થી  ૪:૩૦ની વચ્ચે ઉજવ્યો. વાલી-દિનમાં ૭૬%થી વધુ વિદ્યાર્થીના વાલીઓએ ઉત્સાહ પૂર્વક  ભાગ લીધો. વાલીઓએ એકમ-કસોટીના પરિણામના આધાર પર પોતાના બાળકના  શૈક્ષણિક તથા સર્વાંગી વિકાસ બાબતની ચર્ચા શિક્ષકો સાથે કરી હતી. શિક્ષકોએ વાલીઓને  વિદ્યાર્થીઓને વધુ આગળ લાવવા માટેના શાળાના પ્રયત્ન વિષે માહિતી આપી હતી. પ્રસ્તુત છે કાર્યક્રમની એક ઝલક.  

Read Me

જે. એન બાલિકાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત

જે. એન બાલિકાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત

  આપણી જે. એન. બાલિકા વિદ્યાલયના ધોરણ 10 ના 25 વિધાર્થીઓએ 13જૂનના રોજ સ્થાપ્ત્ય કલાને નિહાળવા માટે વિષય શિક્ષક શ્રી વનિતાબેન અને શ્રી જયેશભાઈ સાથે હઠીસિગના દેરા ની શેક્ષણિક મુલાકાત લીધી હતી.

Read Me

કુમાર શાળા-૨ ઉજવે છે જ્ઞાન-ગૌરવ

કુમાર શાળા-૨ ઉજવે છે જ્ઞાન-ગૌરવ

    ગઇ તારીખ ૨૭ એપ્રિલ ૨૦૧૮ના દિવસે સરસ્વતી કુમાર શાળા-૨ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ જ્ઞાન-ગૌરવ તથા સરસ્વતી પૂજનની ઉજવણી કરી. આ પ્રસંગની ઝલક.

Read Me

ઘરશાળા અંક જૂન ૨૦૧૮

ઘરશાળા અંક જૂન ૨૦૧૮

ઘરશાળા માસિકનો જૂન, ૨૦૧૮ માસનો અંક હવે ઉપલબ્ધ છે. વાંચવા માટે નીચેની છબી પર ક્લીક કરો.  

Read Me