ઘરશાળા માસિકનો મે ૨૦૧૮નો અંક પ્રકાશિત થઇ ચૂક્યો છે. આ માસના અંકમાં શ્રી જશીબેન નાયકની “સ્મરણયાત્રા”ની આગલી કડી તથા શ્રી નારાયણ દેસાઇનો “આબેડકર તથા ગાંધી : કેટલીક ગેરસમજુતીઓ દૂર કરીએ” જેવા રસપ્રદ લેખ સામેલ છે.
ઘરશાળા માસિકનો મે ૨૦૧૮નો અંક પ્રકાશિત થઇ ચૂક્યો છે. આ માસના અંકમાં શ્રી જશીબેન નાયકની “સ્મરણયાત્રા”ની આગલી કડી તથા શ્રી નારાયણ દેસાઇનો “આબેડકર તથા ગાંધી : કેટલીક ગેરસમજુતીઓ દૂર કરીએ” જેવા રસપ્રદ લેખ સામેલ છે.
જે એન બાલિકા વિદ્યાલયે પોતાના વર્ગ-૧૨ના વિદ્યાર્થીઓને તારીખ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ વિનીત વિદાય સમારંભ યોજી વિદાય આપી. સમારંભમાં લગભગ ૧૩૫ વિદ્યાર્થીએ ભાગ લીધો. સમારંભનાં મુખ્ય અતિથિ અમદાવાદ શહેરનાં જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવનીતભાઇ મહેતા હતાં. તેઓ શ્રીએ પોતાના પ્રાસંગિક પ્રવર્ચનમાં વિદાય લેતી બાલિકાઓને વિશ્વાસ આપ્યો કે આજના યુગમાં સ્ત્રી માટે દરેક ક્ષેત્રનાં દ્વાર ખુલ્લાં છે અને સ્ત્રી ધારે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી […]
જે. એન બાલિકા વિદ્યાલયમાં તારીખ ૩જી માર્ચ ૨૦૧૮ ને શનિવારના રોજ શાળાકીય ગણિત વિજ્ઞાન પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળા ની ધોરણ ૯ અને ૧૧ ની વિધ્યાર્થીનીઓએ વિવિધ વિષયો પર કૃતિઓ રજૂ કરી હતી. જેમ કે ગણિત કોયડા, પાયથાગોરસનો નિયમ, ગણિત ગમ્મત, મેટ્રો પ્રોજેક્ટ, સ્માર્ટ સીટી, એર કુલર, પ્રદુષણ નિયંત્રણ, જૈવ વિવિધતા, ટપક સિચાઈ પધ્ધતિ જેવા વિષયોને મોડલ તેમજ […]
સરસ્વતી કુમારશાળા-૨નો વર્ષ ૨૦૧૭-૧૮નો વાર્ષિક રમતોત્સવ ગઇ તારીખ ૨૨ ડિસેમ્બરે યોજાઇ ગયો. રમતોત્સવના મુખ્ય મહેમાન તરીકે પ્રથમ કક્ષાના રાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી, નરોડા વ્યાયામશાળાના શિક્ષક તથા બીજી અનેક રીતે રમત-ગમત સાથે સંકળાયેલ એવા શ્રી નિપાબેન ભાવસાર હતાં. તેમની સાથે વિદ્યા મંડળના મંત્રી શ્રી જ્યોતીન્દ્રભાઈએ તથા સરસ્વતી કુમારશાળા-૧ના આચાર્યા શ્રી ભાવનાબેને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રમતોત્સવની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થઇ હતી. […]
સરસ્વતી કુમારશાળા-૧નો વર્ષ ૨૦૧૭-૧૮નો વાર્ષિક રમતોત્સવ ગઇ તારીખ ૧૫ ડિસેમ્બરે યોજાયો હતો. રમતોત્સવના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય કક્ષાના કબડ્ડી ખેલાડી, સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાતમાં રેફરી, સ્કાઉટ-માસ્ટર તથા બીજી અનેક રીતે રમત-ગમત સાથે સંકળાયેલ એવા શ્રી બાબુભાઈ સોલંકી હતા. તેમની સાથે વિદ્યા મંડળના મંત્રી શ્રી જ્યોતીન્દ્રભાઈએ તથા સરસ્વતી કુમારશાળા-૨ના આચાર્યા શ્રી મીતાબેને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રમતોત્સવની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થઇ […]
તા. ૧૮ નવેમ્બર ૨૦૧૭ના રોજ સરસ્વતી વિદ્યામંડળના વડીલ મુ.શ્રી જશીબહેન નાયકનો ૯૯મો જન્મદિવસ સરસ્વતી પરિવારે આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવ્યો. મુ.શ્રી જશીબહેન જીવનના ૯૯ વર્ષ પૂરા કરી ૧૦૦ વર્ષે પ્રવેશ કરે તે ઘટના સરસ્વતી વિદ્યામંડળ માટે એક યાદગાર પ્રસંગે છે. જશીબહેન શતાબ્દી વંદના કાર્યક્રમમાં સરસ્વતી વિદ્યામંડળના ટ્રસ્ટી મંડળ, સંચાલન મંડળના સભ્યો, પૂર્વ આચાર્યો, શિક્ષકો, સારસ્વતો અને સમગ્ર સારસ્વત પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની […]
શ્રી શાંતિકુમાર કોઠારી વિદ્યાલય (બાલભારતી) ની નવી કમ્પ્યુટર પ્રયોગશાળા જૂન ૨૦૧૭ના નવા સત્રથી કાર્યરત છે. બેવડા સર્વર તથા થીન ક્લાયન્ટની અદ્યતન ટેકનોલોજી વડે સુસજ્જ પ્રયોગશાળા પ્રાયોગિક કાર્ય માટે દરેક વિદ્યાર્થીને પોતાનું આગવું કમ્પ્યુટર ઉપલબ્ધ કરવા સક્ષમ છે.
અસારવા વિદ્યાલયના વિદ્યાર્થીઓ એ તારીખ ૪ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ શાળામાં યોજાયેલ ગણેશ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લીધો. એક ઝલક.
તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ બાલવિહારના ભૂલકાઓ એ ભારતના સ્વતંત્રતા દિન તથા જન્માષ્ટમીની ઉજવણી ઉત્સાહપૂર્વક કરી