શ્રી શાંતિકુમાર કોઠારી વિદ્યાલય (બાલભારતી) ની નવી કમ્પ્યુટર પ્રયોગશાળા જૂન ૨૦૧૭ના નવા સત્રથી કાર્યરત છે. બેવડા સર્વર તથા થીન ક્લાયન્ટની અદ્યતન ટેકનોલોજી વડે સુસજ્જ પ્રયોગશાળા પ્રાયોગિક કાર્ય માટે દરેક વિદ્યાર્થીને પોતાનું આગવું કમ્પ્યુટર ઉપલબ્ધ કરવા સક્ષમ છે.