સરસ્વતી પરિવારના સ્વજનો, નમસ્તે. વિક્રમ સંવત ૨૦૭૬નું વર્ષ આખા વિશ્વ માટે કપરું રહ્યું. મહામારી અત્યાર સુધી માત્ર ભારતમાં જ સવા લાખથી વધુ માનવીનો ભોગ લઇ ચૂકી છે. રોજગાર-ધંધા બંધ થવાને કારણે આપણે બધા આર્થિક મૂંઝવણ અનુભવી રહ્યા છીએ. બાળકો શાળાએ જઈ નથી શકતાં અને તેને કારણે તેમનો અભ્યાસ અને વિકાસ બન્ને રૂંધાઈ રહ્યા છે. દરેક મુશ્કેલી આપણને કાંઇક શીખવી જાય છે, કશુંક નવું કરવા પ્રેરે […]